Proud of Gujarat
FeaturedGENERAL NEWSGujaratINDIA

વાગરા : વિંછીયાદ ગામ ખાતે દૂધ બાબતે તકરાર થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ

Share

વાગરા તાલુકાના વિંછીયાદ ગામમાં દુધડેરી પાસે દૂધ સારી ગુણવત્તાનું લાવવાનું કહેતા માથાકૂટ સર્જાતા 4 વ્યક્તિઓ વિરૂદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે. વાગરા પોલીસ માંથી મળતી વિગતો મુજબ વિંછીયાદ ગામમાં આવેલ દૂધ ડેરીમાં ડેરીના સભ્ય ઘનશ્યામસિંહ કિરીટ સિંહ યાદવ દૂધ ડેરી ખાતે હાજર હતા. તે દરમિયાન ઉસ્માન ઉમરજી પટેલ દૂધ ભરવા આવતા તેમને સારી ગુણવત્તાનું દૂધ લાવવાનું કહેતા ઉશ્કેરાઈ જઈ ઢિકા પાટુંનો માર મારવા લાગ્યા હતા. દરમિયાન ઉમરજી ઇસ્માઇલ પટેલ, સિકંદર ઉમરજી પટેલ તથા મહેબૂબ ઇસ્માઇલ પટેલનાંઓ ત્યાં દોડી આવ્યા હતા અને તેઓને માર માર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટના અંગે ફરિયાદીએ વાગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

પાલેજ ગ્રામ પંચાયત દ્વારા કોરાના વાઇરસનાં કહેરમાં માનવતા મહેકાવી, વતન જતાં પરપ્રાંતીય માટે સતત 5 માં દિવસે જમવાની વ્યવસ્થા ચાલુ રાખી છે.

ProudOfGujarat

વડોદરા ખાતે INOXCVA એ ક્રાયોજેનિક સ્ટોરેજ ટેન્કના ઉત્પાદનની સુવિધા સ્થાપવા માટે ગુજરાત સરકાર સાથે સમજૂતી કરાર (એમઓયુ) કર્યા

ProudOfGujarat

ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખી કરી રજૂઆત, લોક ડાઉનમાં મળ્યું છે ભ્રષ્ટાચારીઓને મોકળું મેદાન..!! જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!