Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે 10 કલાક વિજળી આપવા નાંદોદ MLA ડો.દર્શનાબેન દેશમુખે નાણામંત્રીને પત્ર દ્વારા રજૂઆત કરી

Share

હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે ચોમાસાની સિઝનમાં વરસાદ પણ પડ્યો છે પાછલા દિવસોમાં વરસાદ ખેંચાતા નર્મદા જિલ્લાના કેટલાક ખેડૂતોનો પાકોમાં ભારે નુકસાન પહોંચે તેવી શક્યતાઓ ઊભી થઈ છે ત્યારે નર્મદા જિલ્લાના નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય ડો.દર્શના દેશમુખે ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ મોહનભાઈ દેસાઈને વીજળીનો સમય વધારવા માટે પત્ર લખ્યો.

નર્મદા જિલ્લાના નાંદોદ ના ધારાસભ્ય ડો દર્શનાબેન દેશમુખે પત્ર લખી જણાવવાનું કે, રાજ્યમાં વરસાદ ખેંચાવાનાં કારણે ખેતીમાં નુકશાન થાઇ રહ્યુ છે તેમજ મુખ્ય પાક કેળ, કપાસ, શેરડી વગેરે વધુ પાણીની જરૂરીયાત ધરાવતા હોવાના કારણે પાક ને નુકશાન થઈ રહ્યુ છે.જેથી અમારા નર્મદા જિલ્લામાં ખેડુતોના ઊભા પાકને બચાવવા સિંચાઇ માટે 8 કલાકના બદલે 10 કલાક વિજળી આપવા આપશ્રી ને મારી અંગત ભલામણ છે,

Advertisement

Share

Related posts

ભરૂચ શહેરમાં એક સાથે એક જ દિવસે આઠ તાળાં તૂટતાં ખળભળાટ..!

ProudOfGujarat

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં કોરોનાની ગાઈડલાઇનનું પાલન શરૂ, સંસ્થાએ નિયમો પણ બનાવ્યા

ProudOfGujarat

ઉમરપાડાનાં સળગતા પ્રશ્નોનાં નિરાકરણ માટે કોંગ્રેસનાં આગેવાનોએ ઉમરપાડાનાં મામલતદારને આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!