Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના ટોલનાકા પાસે શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી એલ.સી.બી

Share

અંક્લેશ્વર શહેર “બી” ડીવીઝન પો.સ્ટે વિસ્તારમાં આવેલ ટોલ નાકા પાસેથી ટેમ્પોમાં ભરેલ શંકાસ્પદ ભંગારનો જથ્થો પકડી કુલ કી.રૂ. ૬,૬૪,૯૦૦ ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા.

ભરૂચ LCB નો સ્ટાફ અંકલેશ્વરના નેશનલ હાઇવે નંબર 48 પર હાજર હોય ત્યારે માહીતી મળી હતી કે, એક ટેમ્પો દહેજથી અંક્લેશ્વર અંસાર માર્કેટ તરફ આવનાર છે. આ ટેમ્પામાં શંકાસ્પદ ભંગારનો સામાન ભરેલો છે. આ માહિતીના આધારે પોલીસે ટોલનાકા ખાતે વોચ તપાસમાં હાજર હતા. તે માહીતીવાળો ટેમ્પો આવતા તેને સાઇડમાં કરાવી ચેક કરતા ટેમ્પામાંથી શંકાસ્પદ ભંગારનો 5330 કિ.ગ્રામ કિં.રૂ.1,59,900 તથા ટેમ્પાની કિં.રૂ.5,00,000 તથા મોબાઇલ નંગ-1 કિં.રૂ.5,000 મળી કુલ કિં.રૂ.6,64, 900ના મુદ્દામાલ સાથે સતિષકુમાર દિપકકુમાર સરોજ, ભુષણ લાલબિહારી હરીજન, રામકેવલ રામબ્રીજ હરીજન અને સુરેન્દ્ર હરી યાદવને ઝડપી પાડ્યા હતા. પોલીસે ચાર ઇસમોને ઝડપી પાડી સી.આર.પી.સી સંલગ્ન કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી આ ભંગારનો સામન તેઓ ક્યાંથી લાવ્યા અને ક્યાં આપવાના હતા તે અંગે તપાસ હાથ ધરાઈ છે.

Advertisement

Share

Related posts

અમરેલી જિલ્લામાં ભાજપના પૂર્વ મંત્રી મધુબેન જોશીની હત્યા, પોલીસે હુમલાખોરને પકડવા તજવીજ શરુ કરી

ProudOfGujarat

લાખોનો મુદ્દામાલ કબ્જે – નેત્રંગ ચાર રસ્તા અને થવા ચેક પોસ્ટ ઉપરથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે પાંચ ઝડપાયા

ProudOfGujarat

ભરૂચમાં આજરોજ વોર્ડ નં.10 નાં કોંગ્રેસનાં કાઉન્સિલર અને કોંગ્રેસનાં આગેવાનનાં પત્નીનું કોરોનાનાં કારણે મોત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!