Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : છેલ્લા 50 દિવસથી બંધ કોઝ-વે લોકોની અવરજવર માટે ખુલ્લો મુકાયો, સ્થાનિકોને રાહત

Share

ચોમાસા દરમિયાન ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સુરતનો કોઝ-વે ઓવરફ્લો થતા તેના પરથી અવરજવર બંધ કરવામાં આવી હતી. જોકે, હવે 50 દિવસ બાદ કોઝ-વે લોકોની અવરજવર માટે ખુલ્લો મુકાયો છે. આ કોઝ-વે સિંગણપોર અને રાંદેરને જોડે છે અને તાપી નદી પર બનેલો છે.

અગાઉ ચોમાસા દરમિયાન મુશળધાર વરસાદને પગલે તાપી નદીના જળસ્તરમાં વધારો થયો હતો અને તેના કારણે કોઝ-વે પણ ઓવરફ્લો થયો હતો. કોઝ-વે ની સપાટી 6 મીટર કરતા વધુ પાણીનું વહનને જોતા તંત્ર દ્વારા આ કોઝ-વેને લોકોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. જો કે, હવે તાપી નદીના જળસ્તરમાં ઘટાડો થયો છે. જળસ્તરમાં ઘટાડો થતા કોઝ-વે પરનું જોખમ પણ ઘટ્યું છે.

Advertisement

આથી છેલ્લા 50 દિવસથી બંધ કોઝ-વેને હવે ફરી લોકોની અવરજવર માટે ખોલી દેવામાં આવ્યો છે. આ કોઝ-વે સિંગણપોર અને રાંદેરને જોડે છે. આથી કોઝ-વે બંધ રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. પરંતુ, હવે અવરજવર માટે કોઝ-વે ખુલી જતા સ્થાનિક લોકોને રાહત મળી છે. ઉલ્લેખનીય છે કે આ કોઝ-વે પરથી દિવસ દરમિયાન હજારો વાહનચાલકો અવરજવર કરતા હોય છે.


Share

Related posts

પવિત્ર રમજાન માસ અને ચૈત્ર નવરાત્રીના ધાર્મિક તહેવાર દરમિયાન ભરૂચમાં પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવાની માંગ સાથે વિપક્ષના સભ્યોએ મુખ્ય અધિકારીને કરી રજુઆત.

ProudOfGujarat

જંબુસર તાલુકાનાં કંબોઇ ખાતે આવેલ સ્તંભેશ્વર મંદિર કોરોના અંતર્ગત બંધ કરવામાં આવ્યું.

ProudOfGujarat

નડિયાદ : કણજરી ચોકડી પર અજાણ્યા વાહન ચાલકે એક્ટીવાને ટક્કર મારતાં એકનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!