Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નેશનલ હાઇવેને અડીને આવેલ ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ

Share

ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે આગ લાગવાની એક બાદ એક અનેક ઘટનાઓ સામે આવી છે, જિલ્લામાં ખાસ કરી અંકલેશ્વર પંથકમાં ઔધોગિક એકમો અને ભંગારના ગોડાઉનોમાં અવારનવાર આગ ફાટી નીકળતી હોય છે, તેવામાં વધુ એક આગ લાગવાની ઘટના ગત રાત્રીના સમયે અંકલેશ્વર,પાનોલી વચ્ચે નેશનલ હાઇવેને અડીને આવેલ વિસ્તારમાંથી સામે આવી હતી.

અંકલેશ્વરના નેશનલ હાઇવે 48 પર આવેલ અમર તૃપ્તિ પાસે એક ભંગારના ગોડાઉનમાં ગત મોડી રાત્રીના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી, અચાનક લાગેલ આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સ્થળ ઉપર નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા.

ભંગારના ગોડાઉનમાં આગ લાગ્યા અંગેની જાણ અંકલેશ્વર તેમજ પાનોલી ફાયર ફાઇટરોને કરવામાં આવતા ફાયરના લાશકરો એ તાત્કાલિક લાયબંબા સાથે સ્થળ ઉપર પહોંચી જઈ આગની જવાળાઓ ઉપર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો.

Advertisement

અત્રે ઉલ્લેખનિય છે કે અંકલેશ્વર પંથકમાં અવારનવાર ભંગારના ગોડાઉનોમાં આગ લાગવાના બનાવો બની રહ્યા છે, જે અંગેના ચોક્કસ કારણો પણ સામે આવતા નથી જોકે લોક ચર્ચા મુજબ કેમિકલ યુક્ત પદાર્થ અથવા થેલા હોવાના કારણે આ ગોડાઉનોમાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતી હોય છે.


Share

Related posts

૧૦૦ કરતા વધારે મોટર સાયકલ ચોરી કરનાર ઇસમોને ભરૂચ એલ.સી.બી.એ-૧૧ જેટલા ચોરીના મોટર સાયકલ સાથે ઝડપી પાડયા….

ProudOfGujarat

મોબાઈલ પર સંક્રમણના વધેલા કેસોના સમાચાર સાંભળીને લાગે છે કે અમે અહીં રોકાઈને સારું કર્યું લોક ડાઉન દરમિયાન સરકારે અમને રહેવા-જમવાની ઉત્તમ સુવિધા પૂરી પાડી છે.

ProudOfGujarat

ભરૂચ ના ઝાડેશ્વર ચોકડી હાઇવે ઉપર રજપૂત કરણી સેના એ ફિલ્મ પદ્માવત ના વિરોધ માં ચક્કાજામ કરી ટાયરો સળગાવી એક કાર ના કાંચ તોડી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!