Proud of Gujarat
FeaturedGujaratINDIA

ટ્રેનોના એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ક્લાસના મુસાફરો માટે રાહત, ભાડામાં 25% જેટલો ઘટાડો થશે

Share

રેલ્વે બોર્ડે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને મોટી રાહત આપી છે. રેલવે બોર્ડે એસી ચેર કાર અને વંદે ભારત સહિતની ટ્રેનોના એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી કરનારાઓને મોટી રાહત આપવાની વાત કરી છે.

રેલ્વે બોર્ડે કહ્યું છે કે વંદે ભારત સહિત તમામ ટ્રેનોના એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ક્લાસના ભાડામાં 25 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવશે. રેલ્વે બોર્ડે ઝોનને એવી ટ્રેનોમાં કન્સેશનલ ભાડાની યોજના દાખલ કરવા કહ્યું છે જે છેલ્લા 30 દિવસમાં મુસાફરોની સંખ્યા 50 ટકાથી ઓછી રહી છે. મુસાફરોની સંખ્યાના આધારે કોઈપણ વર્ગ અથવા તમામ વર્ગોમાં રાહત આપી શકે છે. રાહત માટે મંત્રાલય ઝોનલ રેલવેને સત્તા સોંપશે.

Advertisement

આ આદેશ બાદ વંદે ભારત સહિત તમામ ટ્રેનોના એસી ચેર કાર, એક્ઝિક્યુટિવ ક્લાસના ભાડામાં 25 ટકાનો ઘટાડો થશે. આ યોજના એસી ચેર કાર અને વિસ્ટાડોમ કોચ સહિત એસી ચેર સુવિધા ધરાવતી તમામ ટ્રેનોના એક્ઝિક્યુટિવ ક્લાસમાં લાગુ થશે. ભાડા પર મહત્તમ 25 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ હશે. જો કે અન્ય ચાર્જ જેમ કે રિઝર્વેશન ચાર્જ, સુપર ફાસ્ટ સરચાર્જ, GST વગેરે અલગથી વસૂલવામાં આવશે.

ભાડામાં રાહત ઝોનલ અધિકારી દ્વારા નક્કી કરવામાં આવેલ સમયગાળા માટે લાગુ થશે, તેની અસરથી મુસાફરીની તારીખો માટે વધુમાં વધુ છ મહિના સુધી. માંગના આધારે આખા સમયગાળા માટે અથવા અમુક મહિના અથવા અઠવાડિયા અથવા છ મહિના માટે રાહત ભાડું આપી શકે છે.


Share

Related posts

ભરૂચના પાલેજ સ્થિત ચિશ્તીયા નગર ખાતે મુસ્લિમ કડીવાલા સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો.

ProudOfGujarat

સરદાર સરોવર નર્મદા ડેમ 63.70% ડેમ ભરાયો : 12.59 મીટર ભરવાનો બાકી

ProudOfGujarat

રક્ષકો જ ભક્ષક : ભરૂચ જિલ્લામાં લેન્ડ ગ્રેબીંગ એકટનો ભુમાફિયા દ્વારા દુરપયોગ, ભરૂચ જિલ્લાના ખેડૂતોનો કલેકટર ઓફિસ પર હલ્લાબોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!