Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ-મહેસાણા હાઇવે પર કારચાલકે 3 શ્રમિકોને અડફેટે લેતા ત્રણેના ઘટના સ્થળે મોત

Share

ગુજરાતમાં હાઈવે પર થતા અકસ્માતોની સંખ્યમાં વધારો થઈ રહ્યો છે. અકસ્માતોમાં રાહદારીઓના પણ મોતના આંકડા વધી રહ્યાં છે. આજે અમદાવાદ મહેસાણા હાઈવે પર બેફામ ગતિએ આવેલી કારે ત્રણ શ્રમિકોને અડફેટે લેતાં ત્રણેયના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતાં. ત્રણેય શ્રમિકો રસ્તો ક્રોસ કરી રહ્યાં હતાં આ દરમિયાન કારની ટક્કરથી તેમનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ રાહદારીઓના ટોળા ઉમટી પડ્યાં હતાં અને તેમણે પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

નંદાસણ હાઇવે ઉપર આવેલા બિલેશ્વરપુરા પાટિયા નજીક અકસ્માત થયો હતો. ત્રણ રાહદારીઓ રોડ ક્રોસ કરી રહ્યા હતા. જે દરમિયાન અમદાવાદ તરફથી આવી રહેલી શિફ્ટ ગાડીએ ધડાકાભેર ટક્કર મારી હતી. જ્યાં ત્રણેય જણા રોડ ઉપર પછડાયા હતા અને ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. અકસ્માત થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને કલોલ પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પોલીસ આવીને કાર્યવાહી કરી હતી. ત્રણેય રાહદારીઓ જોટાણા તાલુકાના મુદરડા ગામના વતની હોવાનું બહાર આવ્યું છે. પોલીસ ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવા તજવીજ હાથ ધરી છે. પોલીસ દ્વારા કાર ચાલક સામે ફરિયાદ નોંધીને તપાસ ચાલુ કરી દીધી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : જંબુસરના ટંકારી રોડ ઉપર આવેલ સોસાયટીના અગ્રણીઓએ મીઠાના અગરમાંથી મીઠુ ઓવરલોડ ભરીને વહન કરતી ટ્રકોને રોકી.

ProudOfGujarat

ઝાડેશ્વર સ્વામીનારાયણ મંદિરે આહિર સમાજ ના છાત્રોએ અભિષેક કર્યો

ProudOfGujarat

અંકલેશ્વર પંથકમાં વિકાસના કામોનું ખાતમુર્હત કરાયું …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!