Proud of Gujarat
FeaturedGujaratINDIA

કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ.સુબ્રમણ્યમ્ જયશંકરની ગુજરાતના નર્મદા જિલ્લાની મુલાકાતે

Share

કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ.સુબ્રમણ્યમ્ જયશંકર સાંસદ આદર્શ ગામ યોજના અંતર્ગત આજથી બે દિવસીય નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા છે. રાજપીપલા સર્કિટ હાઉસ ખાતે સવારે આગમન થતા તેઓનું ભરૂચ જિલ્લાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જિલ્લા પોલીસવડા પ્રશાંત સુંબે, ભરૂચ દૂધધારા ડેરી અને ધારીખેડા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ સહિત જીલ્લા વહીવટી તંત્રના અન્ય આધિકારીઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

નર્મદા જિલ્લાના ગ્રામીણ વિસ્તારના પ્રવાસમાં વિદેશમંત્રી ડો.એસ. જયશંકરે તિલકવાડા તાલુકાના વ્યાધર ગામે પહોંચી સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત સ્માર્ટ આંગણવાડીનું ભૂમિ પૂજન કર્યું હતું. સાથે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તથા પ્રાથમિક શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં મંત્રીની સાથે છોટાઉદેપુરના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, જિલ્લાના અગ્રણી ઘનશ્યામભાઈ પટેલ, ગામના સરપંચ ગૌરાંગભાઈ તડવી સહિત જિલ્લાના અન્ય અગ્રણી-આગેવાનો તેમજ જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા આયોજન અધિકારી એસ.એસ. પાંડે, નાંદોદના પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણી સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગ્રામજનોને સંબોધતા વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે, હું ૪(ચાર) વર્ષથી ગુજરાતમાંથી રાજ્યસભાનો સાંસદ છું. મને નર્મદા જિલ્લા સાથે જોડવામાં આવ્યો છે અને તેથીજ આપણી વચ્ચે નજીકનો નાતો બંધાયો છે. આ ક્ષેત્રમાં તમારો અને મારો રુચિ ભાવ કેળવાય તેવા આશય સાથે નાગરિકોની ચિંતા થતા આ વિસ્તારમાં વિકાસ કાર્યો કરવાની તક મને સાંપડી છે. તેથી જ સાંસદ આદર્શ ગામ યોજના અંતર્ગત આ વિસ્તારમાં લોકોનું જીવન ધોરણ સુધરે અને વિસ્તારની પ્રગતિ કરી શકાય તે માટે મેં નર્મદા જિલ્લાના ચોક્કસ ગામો દત્તક લીધા છે. જેના ભાગરૂપે આજે વ્યાધર ગામે બે સ્માર્ટ આંગણવાડીનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે. સાથે બાળકોમાં કુપોષણને દૂર કરવા માટેની યોજના મારફત તેમને પોષણક્ષમ આહાર મળી રહે અને હાલમાં ચાલી રહેલા આઝાદીના અમૃત કાળમાં દેશ વિકસિત બને તેવો હેતુ આ યોજનાનો રહેલો છે. આ વિસ્તારમાં બાળકો માટેની યોજનાઓ થકી અન્ય સુવિધાઓ પણ વધારવામાં આવશે. વધુમાં મંત્રીએ ઉમેર્યું કે,આજે આદર્શ ગ્રામ યોજના હેઠળ આ કામ કરી રહ્યા છીએ તેનાથી મને પણ ગૌરવ થાય છે. આવા કાર્યો થકી તમારો અને અમારો નાતો વધુ મજબૂત બની શકે, ગામમાં ચાલતા વિવિધ કામોનું હું પણ સતત મોનિટરિંગ કરી રહ્યો છું. અગાઉ પણ મેં આ ગામોની મુલાકાત કરી હતી અને ભવિષ્યમાં પણ આ ગાામોની મુુલાકા કરતો રહીશ તેમ મંત્રીએ જણાવ્યું હતું.

વિદેશમંત્રીએ વધુમાં ઉમેર્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સૌની દેખભાળ કરી રહ્યા છે. ગ્રામીણ વિસ્તારના લોકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે. હું પણ મારા પુરા પ્રયાસો કરતો રહીશ. મને આશા છે કે લોકો માટે હું કંઈક કરી શકું છું અને મને વિશ્વાસ છે કે આગળ પણ હું આપના માટે કંઈક કરી શકું. શાળાના બાળકો માટે સ્માર્ટ ક્લાસ બને અને પાંચ જગ્યાએ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર બને, યુવાનો માટે ફિટનેસ એક્ટિવિટી તથા રોજગારીના વિકલ્પો ખૂલે, લોકોની જિંદગીમાં બદલાવ આવે તેવા કાર્યો કરીશ. કુપોષણને દૂર કરવા બાળકોને ઉત્તમ આહાર મળે સાથે સારું શિક્ષણ પ્રાપ્ત થાય તો જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અમૃતકાળ સમયે સેવેલું ગ્રામીણ ક્ષેત્રના વિકાસનું સ્વપ્ન સાકાર કરી શકાશે. ગામડાને કઈ રીતે આગળ લઈ જઈ શકાય તેવું ચોક્કસ વિઝન અને મિશન છે. જેમાં રોડ-રસ્તા-વીજળી-પાણી-સૌના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થાય તે દિશામાં કાર્ય કરી દેશને વિકાસના શિખરો સુધી લઈ જઈ શકાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે છેલ્લા નવ વર્ષમાં ખૂબ સારું પરિવર્તન અને પરિણામો આપ્યા છે. વિદેશમાં અને વિશ્વ કક્ષાએ પણ ભારતની નામના ગૌરવ સાથે વિદેશી લોકો લઈ રહ્યા છે. દુનિયાની નજર હવે ભારત પર મંડાયેલી છે. વિદેશ મંત્રીના નાતે હું પ્રધાનમંત્રીશ્રીના હાથ મજબૂત કરવા તેમને સહયોગ કરું છું. બુંદ બુંદ સે સમુદ્ર બનતા હૈ તેમ ભારતમાં ગ્રાઉન્ડ લેવલે પરિવર્તન આવે જેથી દેશ વિકાસના ઉન્નત શિખરો સર કરે તેવી મારી પ્રતિબદ્ધતા પણ વિદેશ મંત્રીએ વ્યકત કરી હતી.

Advertisement

વિદેશ મંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી દ્વારા ગ્રામીણ લોકોની સુખાકારી માટે ગરીબ કલ્યાણ અન્ન યોજના, ઉજ્વલા યોજના, આવાસ યોજના, લોકોને ઘરનું ઘર આપ્યું છે. પાછલા નવ વર્ષમાં કેન્દ્રની સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ પરિવર્તન આણ્યું છે. દરેક ક્ષેત્રમાં વિકાસ સાથે પ્રગતિ કરી છે. કિસાન સન્માન નિધિ, આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર, હેલ્થ કાર્ડ જેવી અલગ અલગ યોજનાઓ થકી વિકાસ કાર્યો અને જનસુખાકારીના કાર્યો સાથે પ્રજા કલ્યાણની યોજનાઓ જમીનની હકીકત પર ઉતારીને લોકોનું કલ્યાણ કરે છે.

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકારે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના આમદલા ગામે એક આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઇ બાળકોને આપવામાં આવતા નાસ્તો અને બાળકોને કરાવવામાં આવતી પ્રવૃત્તિઓનું જાત નિરીક્ષણ કર્યું હતું. બાદમાં આયુષ્યમાન ભારત હેલ્થ સેન્ટરની મુલાકાત લઈને આત્માકાર્ડના લાભાર્થીને કાર્ડ વિતરણ કર્યું હતું. બાદમાં ગ્રામજનો સાથે સીધો વાર્તાલાપ કરીને ગામમાં ખૂટતી કડીઓ અંગે માહિતી મેળવી હતી. મહિલાઓ સાથે પણ સીધો સંવાદ કર્યો હતો. વ્યાધર ગામમાં કિશોરીઓને સેનેટરી પેડનું વિતરણ કર્યું હતું. આંગણવાડીના ભૂલકાઓ સાથે તસવીર ખેંચાવી હળવાશની પળોમાં બાળકો સાથે પણ સંવાદ કર્યો હતો.

વિદેશ મંત્રીએ બપોર બાદ ગરૂડેશ્વર તાલુકાના વાગડિયા ગામે આવેલી આઈ.ટી.આઈ ખાતે મુલાકાત કરી વિદ્યાર્થીઓ સાથે ક્લાસમાં બેન્ચીસ પર બેસી વર્ગનું નિરિક્ષણ કર્યું હતું અને તાલીમાર્થીઓ સાથે ચર્ચા કરી હતી.

વિદેશ મંત્રી ડૉ.સુબ્રમણ્યમ્ જયશંકર બાદમાં સાગબારા તાલુકાના ભાદોડ ગામે પહોંચ્યા હતા. જ્યાં ગામલોકો સામે મુલાકાત કરી સંવાદ કર્યો હતો. સ્થાનિક આગેવાનોએ ગામની મહિલાઓ સાથે આદિવાસી બોલીમાં સંવાદ કરતાં વિદેશ મંત્રીશ્રી પણ અભિભૂત થયા હતા. આ તબક્કે ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા પણ જોડાયાં હતાં.

– MPLADS યોજના હેઠળ વિદેશ મંત્રીશ્રીએ દત્તક લીધેલા ગામોમાં થનારા કામો

૧) નર્મદા જિલ્લામાં MPLADS (સાંસદ આદર્શ ગામ યોજના)ના અમલીકરણ માટે, ભારતીય પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડ (IPHS) મુજબ સામોટ, અમદલા અને વ્યાધાર ગામોના સબ સેન્ટર કમ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના નવા બિલ્ડીંગના બાંધકામ માટે રૂપિયા 225.00 લાખની ફાળવણી કરી છે.

૨) પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, લાછરસ ખાતે એમ્બ્યુલન્સ માટે રૂપિયા ૨૨.૦૦ લાખની ફાળવણી કરી છે.

૩) પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કોલવણ, સાગબારા ખાતે મોબાઈલ હેલ્થ કેર યુનિટ માટે રૂપિયા ૩૨.૦૦ લાખની ફાળવણી કરવામાં આવી છે.

(4) નર્મદા જિલ્લામાં ૭ સ્માર્ટ આંગણવાડીઓના બાંધકામ માટે રૂપિયા ૧૧૨.૦૦ લાખની રકમ ફાળવવી છે જમાં (સમોટ- 2 AW, વ્યાધર-2 AW, લચ્છરસ-1 AW, આમદલા-1 AW, ભદોદ-1 AW)નો સમાવેશ થાય છે.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ સી ડિવિઝન ખાતે કોવિડ-19 ની નોટિફિકેશન અંગે માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઇ.

ProudOfGujarat

ભરૂચના દયાદરા અને કુકરવાડાના એકસ્ટ્રા ડોઝ કેબલ બ્રિજની કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ લીધી મુલાકાત.

ProudOfGujarat

નેત્રંગ ફોરેસ્ટ વિભાગ એ છોલેલી ખેરના લાકડા ભરેલો પાસ પરવાનગી વગરનો આયસર જપ્ત કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!