Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગનાં કેલ્વીકુવા ગામે દીપડાએ ૩ વાછરડીનો શિકાર કરતાં વનવિભાગે પાંજરૂ મુક્યું

Share

પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગ્રા.પંચાયતના સભ્ય મનીષાબેન મયુરભાઇ ભક્તની ખેતી કંબોડીયા ગામની સીમમાં આવેલ છે. ખેતીની સાથે પશુપાલનો વ્યવસાય કરે છે એટલે ખેતરમાં ઢોર-ઢાખર માટે તબેલો બનાવ્યો છે. રાત્રીના અંધકારમા સમયે દીપડાએ પોતાના ખોરાકની શોધમાં ૩ વાછરડીનો શિકાર કર્યો હતો. જેમાં ૨ વાછરડીનું ઘટનાસ્થળ ઉપર જ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક વાછરડીને દીપડો સાથે લઈ ગયો હતો. ખેડુતે નેત્રંગ વનવિભાગના આરએફઓ સરફરાઝ ઘાંચીને જાણ કરતાં ખેતરમાં દીપડાને પાંજરે પુરવા તજવીજ હાથધરી પાંજરૂ મુકવામાં આવતા ખેડુતે રાહતનો શ્વાસ લીધો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ કોર્ટે ચેક રિટર્નના બે અલગ અલગ કેસમાં આરોપીઓને સજા ફટકારી

ProudOfGujarat

વાલીયાના દેસાડ અને સોડગામ વચ્ચે ટેમ્પો ચાલકે બાઇકને અડફેટે લેતા પતિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે પત્નીનીને ગંભીર ઇજા પહોંચી હતી

ProudOfGujarat

OLX પર વેચાણ કરવા મુકેલ હેરિયર કાર યુવક કઈ રીતે ચોરી કરી ગયો વાંચો : ધનસુરા પોલીસે કાર શોખીન ચોરને ગણતરીના કલાકોમાં દબોચ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!