Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમરેલીનાં સાવરકુંડલાના મણીનગર વિસ્તારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ

Share

અમરેલી જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતા જ આગની ઘટનાઓ ફરી વધી રહી છે. આજે સાવરકુંડલા શહેરમાં આવેલ ભરચક વિસ્તાર મણીનગરમાં આવેલા ભંગારના ડેલામાં જૂના બાઈકના સ્ક્રેપમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. આગના પગલે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ફાયરબ્રિગેડે કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

સાવરકુંડલાના મણીનગર પાસે આવેલા ભંગારના ડેલામાં જૂના બાઈકનો ભંગાર રાખવામાં આવે છે. જેમાં આજે સવારના સમયે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડે ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

Advertisement

Share

Related posts

ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવા પર ૨૮ વર્ષ પહેલા થયેલા ૫ કેસોમાં નિર્દોષ છુટકારો.

ProudOfGujarat

ભરૂચમાં આજરોજ વધુ 24 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1840 થઈ.

ProudOfGujarat

વિરમગામ શહેર સહિત પંથકમાં પવન ના વઘતા-ઘટતા જોર થી ઉતરાયણ પર્વ ની ઉત્સાહ ભેર ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!