Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહીસાગરમાં જાનૈયાને લઈને જતો ટેમ્પો ખાડીમાં ખાબકતા 8 લોકોના મોત

Share

મહીસાગર જિલ્લામાં ભયંકર અકસ્માતની ઘટના બની હોવાના સમાચાર મળી રહ્યા છે. લુણાવડા પાસે જાનને લઈને જઈ રહેલો ટેમ્પો ખાડીમાં ખાબકતા 8 લોકોના મોત નિપજ્યા છે. આ ઉપરાંત કેટલાક અન્ય જાનૈયાઓ ઈજાગ્રસ્ત થયા હતા.

મહીસાગર જિલ્લામાં આજે લગ્નમાં જઈ રહેલી જાનને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે જ્યારે આ ઘટનામાં 22 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત લોકોને સારાવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલિસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

પાલેજ નગર સહિત પંથકમાં મુસ્લિમ સમાજ દ્વારા પવિત્ર આશુરા પર્વની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

અંકલેશ્વરમાંથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી

ProudOfGujarat

લગ્નના ત્રણ દિવસ બાદ સુરતના સાસરીયાઓએ દહેજ માટે ગોધરાની પરણિતા પર અત્યાચાર ગુજારતા પોલીસ ફરિયાદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!