Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : મહાશિવરાત્રીના પર્વે બમ બમ ભોલેના નાદથી શિવાલયો ગુંજી ઉઠયા

Share

વહેલી સવારથી જ સુરત શહેરના તમામ મહાદેવ મંદિરોની અંદર ભીડ ઉમટી છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને બીલીપત્ર અને દૂધથી અભિષેક કરવામાં આવતો હોય છે. શિવાલયોમાં આજે મોટી સંખ્યામાં ભક્તોએ દૂધ આભિષેક કરીને મહાદેવને પ્રસન્ન કરવા પૂજા કરી હતી.

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા કંતારેશ્વર મહાદેવ મંદિર ઐતિહાસિક મંદિર પૈકીનું એક છે. તાપી નદીના કિનારે ભગવાન શિવના અનેક શિવાલયો આવેલા છે જે પૈકીનું પ્રાચીનતમ કંતારેશ્વર મહાદેવ મંદિરને માનવામાં આવે છે. વહેલી સવારથી જ કંતારેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા-અર્ચના શિવ ભક્તોએ કરી હતી. વહેલી સવારે ચાર વાગ્યાથી કંતારેશ્વર મહાદેવ મંદિર વહેલી સવારે આરતી કરવામાં આવી હતી. આજે આખી રાત શિવ સ્તુતિ અને શિવ ધૂન કરવામાં આવશે. આ સાથે પાલ વિસ્તારના એકલિંગજી શિવલિંગ, પરદેશ્વર મહાદેવ મંદિર, રામનાથ ઘેલા સહિતના મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી હતી.

Advertisement

Share

Related posts

ગોધરામાં પરીંદાભી પર નહીં માર શકતા જેવા : લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે કાલે ગણપતિ વિસર્જન

ProudOfGujarat

ભરુચનાં ભોલાવમાં કોરોના સામે રક્ષણ મેળવવા સરપંચ દ્વારા અમૃતધારા અર્કનું વિતરણ કરવામાં આવ્યુ.

ProudOfGujarat

લીંબડી ખત્રીવાડમાં નગરપાલિકા દ્વારા દબાણ દુર કરવા જતાં રહીશો વચ્ચે ઘર્ષણ સર્જાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!