Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ : વડતાલધામને દિવાળી પર્વ નિમિત્તે શણગારવામાં આવ્યું.

Share

દીપાવલી પર્વના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણની રમણભૂમિ એવા વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરને ગોલ્ડન રોશનીથી શણગારવામાં આવ્યું છે. દિપાવલી પર્વ બાદ કારતક સુદ નોમથી ભગવાન શ્રી હરિએ બાંધેલ કાર્તિકી (પ્રબોધિની સમૈયો) નો પ્રારંભ થશે, સાથે સાથે વડતાલ મંદિરમાં બિરાજતા શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ સહિત આદિ દેવોનો ૧૯૮ મો વાર્ષિક પાટોત્સવ પણ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવાનાર છે. દેવ દિવાળી સુધી ચાલનાર આ સમૈયા દરમ્યાન વડતાલ મંદિર રોશનીથી ઝળહળી ઉઠશે. અને રાત્રિનો નજારો જોવા મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડે છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ઓરેવા ગ્રુપના કર્તાહર્તા સામે કાર્યવાહીની માંગ સાથેની ગુજરાત હાઈકોર્ટમાં કરાઈ અરજી

ProudOfGujarat

નડિયાદ ટ્રેનમાં મુસાફરોના સામાનની ચોરી કરનાર આરોપી ઝડપાયો

ProudOfGujarat

નવસારીના ક્રીડાઈ એસોસિએશનના બિલ્ડરોએ વિવિધ માંગોને લઈને રેલી યોજી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!