Proud of Gujarat
INDIAFeaturedGujarat

નર્મદાના એકતાનગર ખાતે ભારી ઉદ્યોગ મંત્રાલય ભારત સરકાર દ્વારા ઉદ્યોગ 4.0 કોન્ફરન્સ યોજાઈ.

Share

નર્મદાના એકતાનગર ખાતે આજે ભારી ઉદ્યોગ મંત્રાલય ભારત સરકાર દ્વારા એકદિવસીય ઉદ્યોગ 4.0 કોન્ફ્રન્સ યોજાઈ. આ કોન્ફરન્સને દીપ પ્રાગટ્ય કરી કેન્દ્રીય ભારી ઉદ્યોગ મંત્રી ડો.મહેન્દ્ર્નાથ પાંડે એ ખુલ્લી મુકી.

આ કોન્ફરન્સમાં મંત્રી કૃષ્ણપાલ ગુજ્જર સહીત ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓની ઉપસ્થિત હતી સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગરથી વર્તચ્યુઅલી જોડાયા હતા.

આ કોન્ફ્રરન્સ હેતુ ભારતમાં ચોથી ઔદ્યોગિક ક્રાંતિ લાવવાનો છે અને તે માટે પ્રધાનમંત્રી મોદીની પ્રેરણાથી સમગ્ર ભારતમાં ડિજિટલ ક્રાંતિ સાથે ભારતને સજ્જ કરવામાં આવી રહ્યુ છે. ખાસ કરીને વધતા પ્રદુષણથી ભારતમાં દરેક રાજ્યોમાં ફેમ 1 અને ફેમ 2 દ્વારા ઈવ્હીકલમાં સબસીડી આપી પ્રોત્સાહિત કરાય છે. ફેમ 1 પૂર્ણ થયું છે હવે હવે ફેમ 2 માં ટૂ વહીલરની સાથે સાથે 3 વ્હીલર 4 વ્હીલર અને કોમર્શિયલ બસોને પણ સબસીડી આપવામાં આવી છે.

આજે ગુજરાત અને કર્ણાટકમાં 275 જેટલી ઈ બસોનું લોકાર્પણ કરાયું જેમાં ગુજરાતમાં 75 બસોનું લોકાર્પણ કરાયું છે. ભારતમાં અત્યાર સુધીમાં 3800 થી વધુ ઈ બસો દોડી રહી છે અને આગામી સમયમાં 7000 થી વધુ ઈ બસોનો લક્ષ્યાંક છે. આ બસોને ચાર્જિંગ કરવા દેશના 22000 પેટ્રોલ પંપ ઉપર ચાર્જિંગ સ્ટેશન લગાવવામાં આવશે. પ્રધાનમંત્રી મોદીનું વિસન છે કે 2030 સુધીમાં 45 ટકા કાર્બન ઉત્સર્જન ઓછું કરી શકીએ અને તે માટે બેટરી ઉત્પાદનને પણ વધારવામાં આવી રહ્યું છે.

દીપક જગતાપ રાજપીપળા

Advertisement

Share

Related posts

સુરતની 4 વર્ષની બાળાએ ચેસમાં અનેક મેડલ જીત્યા, યંગેસ્ટ ગર્લ ચાઈલ્ડ એજેડ 3.5નો ખિતાબ હાંસલ કર્યો

ProudOfGujarat

અમદાવાદ : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સોલા સિવિલ ખાતે આયુષ્યમાન યોજનાના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો

ProudOfGujarat

ભરૂચમાં વાલ્મીકિ સમાજ અને દલિત સમાજ દ્વારા નગરપાલિકા ખાતે હાથરસ અને રાપર બનેલ ઘટનાનાં વિરોધમાં આવેદનપત્ર આપી મૃતકને શ્રદ્ધાંજલી આપવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!