Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : ડાકોર કપડવંજ રોડ પર બસ પલ્ટી ખાઇ જતાં ૪ લોકોને ઇજા.

Share

ઝઘડીયાથી અંબાજી જતી એસટી બસ એ ડાકોર – કપડવંજ રોડ પર દાજીપુરા પાસેથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન એકાએક રોડ ઉપર ભેંસ આડી ઉતરતાં એસટી બસના ચાલકે આ પશુને બચાવવા જતાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને બસ રોડની સાઈડની કાંસમા પલટી ખાઈ ગઈ હતી. આ ઘટનામાં બસમાં સવાર ૪૫ મુસાફરોનો જીવ તાળવે ચોટ્યો હતો. સદનસીબે મોટી જાનહાનિ થઈ નહોતી. પરંતુ આમાથી ૪ જેટલા મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોચતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યાં હતા. આ બસની પાછળ અન્ય અંબાજી જતી બસ આવતાં ઉપરોક્ત બસના તમામ મુસાફરોને આ બસમાં બેસાડી રવાના કર્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

લીંબડી તાલુકાના લક્ષ્મીસર ગામે બે સમાજનાં લોકો વચ્ચે ધીંગાણું સર્જાયું.

ProudOfGujarat

ખેડૂતો ને પડતી મુશ્કેલીઓ તેમજ તેમને યોગ્ય ભાવ મળે તે માટે અંકલેશ્વર તાલુકાના મામલતદાર શ્રી ને આવેદન પત્ર આપ્યુ હતુ

ProudOfGujarat

અંકલેશ્વરની પ્રીતેન હેલ્થ કેર કંપનીમાં ભીષણ આગ… બ્લાસ્ટ થતાં કંપનીનો પ્લાન્ટ ધરાશાયી. બે કામદારોના મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!