Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાથી અંકલેશ્વર આવતી મીની બસના પાછળનું ટાયર નીકળી જતા મુસાફરો અટવાયા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા પંથકને જોડતા માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થયા છે, માર્ગ પર મસ મોટા ખાડાના કારણે વાહન લઇ પસાર થવું પણ જોખમી બન્યું છે,બિસ્માર રસ્તાના કારણે છાશવારે આ માર્ગ પર અકસ્માતની ઘટનાઓ સર્જાઈ રહી છે, તંત્રમાં અવારનવાર રજુઆતો કરવા છતાં આજદિન સુધી આ માર્ગનું સમારકામ કરવામાં આવ્યું નથી,જેને પગલે લોકોની હાલત કફોડી બની છે.

આજે સવારના સમયે ઝઘડિયા બસ ડેપોથી અંકલેશ્વર ડેપો તરફ આવતી મીની એસ ટી બસના પાછળનો ટાયર આચનક ચાલુ બસે ગુમાનદેવ નજીમ નીકળી જતા બસમાં સવાર ૨૦ થી વધુ મુસાફરોના જીવ ટાળવે ચોટયા હતા, બસનું ટાયર નીકળી જતા રસ્તા વચ્ચે જ મુસાફરો અટવાઇ જતા અન્ય વાહનો મારફતે તેઓને પોતાના સ્થાને પહોંચવા માટે મજબૂર બનવું પડ્યું હતું, માનવામાં આવી રહ્યું છે કે બિસ્માર માર્ગ અને મસ મોટા ખાડાના કારણે ટાયરની એક્સલ તૂટી જતા આ અકસ્માત સર્જાયો હતો.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે બિસ્માર માર્ગના કારણે થોડા દિવસો અગાઉ સ્થાનિકો દ્વારા અકસ્માતની ઘટના બાદ એક ડમ્પરમાં આગ ચંપી જેવા બનાવો પણ બન્યા હતા સાથે જ લોકો એ ચક્કાજામ કરી બિસ્માર માર્ગનું રીપેરીંગ કાર્ય વહેલી તકે તંત્ર દ્વારા કરવામાં આવે તેવી માંગ પણ કરી હતી તેમ છતાં આજ દિન સુધી તંત્ર તરફથી કોઈ નક્કર કાર્યવાહી ન થતા આજે વધુ એક અકસ્માત સર્જાતા લોકોમાં વધુ એકવાર તંત્ર પ્રત્યે આક્રોશની લાગણી છવાઇ છે.

હારૂન પટેલ : ભરૂચ


Share

Related posts

ગુજરાતમાં વિધાનસભાના અધ્યક્ષ તરીકે નીમાબેન આચાર્યના નામ જાહેર : જેઠા ભરવાડ વિધાનસભાના ઉપાધ્યક્ષ બનશે

ProudOfGujarat

ગુજરાત જેવા દારૂ નિષેધ રાજ્યમાં મોટા મોટા બુટલેગરોને પકડવામાં ઢીલાસ કેમ? : ગુજરાત હાઇકોર્ટે પોલીસને કરી ટકોર.

ProudOfGujarat

નડિયાદના રેલવે સ્ટેશન પર અમદાવાદ – કેવડિયા જનશતાબ્દી એક્સપ્રેસનું સ્ટોપેજ આપવા રેલવે વિભાગ દ્વારા અપાઈ મંજૂરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!