Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગણેશ મહોત્સવને ધ્યાને લઈને અંકલેશ્વરમાં બિસ્માર માર્ગો રીપેર કરવા વિવિધ મંડળો દ્વારા માર્ગ મકાન વિભાગને રજૂઆત.

Share

અંકલેશ્વરના વિવિધ ગણેશ મંડળો દ્વારા જિલ્લા પંચાયતની માર્ગ અને મકાન વિભાગની કચેરી એ જઇ ખરાબ રોડ-રસ્તાને લઈ લેખિત આવેદનપત્ર પાઠવવામા આવ્યું છે. આ લેખિતપત્રમાં જણાવ્યુ છે કે અંકલેશ્વર વિસ્તારમાં ઘણા લાંબા સમયથી રસ્તાઓ અત્યંત બિસ્માર બન્યા છે. હાલ વરસાદનો માહોલ હોય મગરમચ્છની પીઠ જેવા બનેલા આ રસ્તાઓ પર કીચડ પ્રસરાયેલું રહે છે. નજીકમાં ગણેશ મહોત્સવ આવનાર હોય આ પ્રકારના માર્ગ પરથી વિઘ્નહર્તા ગણેશજીની શોભાયાત્રા પસાર થવી અત્યંત મુશ્કેલ બનશે આથી અંકલેશ્વરના વિવિધ ગણેશ મંડળો દ્વારા રજુઆત કરાઇ છે કે અંકલેશ્વરના ખરાબ રસ્તાઓને તાકીદે રિપેરિંગ કામ કરવામાં આવે.

શ્રાવણી પર્વ પૂર્ણ થવાને આરે હોય બીજી તરફ ગણેશ મહોત્સવ દરવાજે દસ્તક દઈ રહ્યો છે ત્યારે ગણેશ મહોત્સવને ધ્યાનમાં લઈને અંકલેશ્વર નગરપાલિકા તંત્ર દ્વારા રોડ રસ્તાને પાકા બનાવવામાં આવે તેમજ રસ્તાની યોગ્ય રીતે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવે અને અંકલેશ્વરના રસ્તાઓ ઉપર સ્ટ્રીટ લાઈટોની પણ ગોઠવણ કરવામાં આવે તેવી માંગ નગરપાલિકા માર્ગ મકાન વિભાગ કચેરી સમક્ષ વિવિધ ગણેશ મંડળોના પ્રતિનિધિઓએ દ્વારા કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

એલર્ટ બ્રામ્હી સુંદરી સહેલી સર્કલ ગ્રુપ ભરૂચ દ્વારા પ્રભુ જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ

ProudOfGujarat

ભરૂચ : જંબુસર બાયપાસ ઓવરબ્રિજ પર માર્ગ બિસ્માર હાલતમાં થવાથી તંત્ર દ્વારા કપચી નાંખી સમારકામ કર્યું હોવાથી માર્ગ પર ખાડા અને સળિયા દેખાવા લાગ્યા છે.

ProudOfGujarat

સુરત : છેલ્લા 50 દિવસથી બંધ કોઝ-વે લોકોની અવરજવર માટે ખુલ્લો મુકાયો, સ્થાનિકોને રાહત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!