Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરના કલ્યાણનગર નવી નગરીમાં ગંદકીનું સામ્રાજય.

Share

વડોદરા શહેરના કલ્યાણનગર નવી નગરીમાં ગટર ઉભરાતી હોવાના કારણે ગંદકીના ઠર જામેલા છે જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે. પાણીજન્ય રોગના કારણે ઘેર-ઘેર માંદગીના ખાટલા મંડાયા છે.

કલ્યાણનગર નવી નગરીના રહીશો દ્વારા કોર્પોરેશનમાં અનેકવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય છે. સાફ-સફાઈના અભાવે લોકો પાણીજન્ય રોગના શિકાર બની રહ્યા છે. કોર્પોરેશનનું સંબંધિત તંત્ર કલ્યાણનગર નવી નગરીના વસાહતોની સમસ્યા સાંભળી સત્વરે નિકાલ લાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. જો સત્વરે ગંદકીની સમસ્યા દૂર નહીં થાય તો વસાહતના રહીશો અનેક ગંભીર બીમારીઓનો શિકાર બનશે તેવી સંભાવના નકારી શકાય એમ નથી.

Advertisement

Share

Related posts

*કરજણના વલણ ગામે સરકારી આંગણવાડીના નાના ભૂલકાઓને વિના મૂલ્યે યુનિફોર્મ વિતરણ કરાયું.

ProudOfGujarat

કરજણના નારેશ્વર ખાતે આવેલી રેતીની લીઝની મુલાકાત લેતાં મનસુખભાઈ વસાવા, પુનઃ રેતીની લીઝનો મુદ્દો ગરમાયો.

ProudOfGujarat

વડોદરા : જીએએસએફસી યુનિવર્સિટી દ્વારા ચોથો દિક્ષાંત સમારોહ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!