Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરામાં હાથીખાનાના 400 વેપારી આજે ભારત બંધમાં જોડાયા.

Share

જીએસટી કાઉન્સિલે ઘઉં, ચોખા, દાળ અને લોટ પર 5 ટકા જીએસટી લાગુ કરતાં બરોડા ગ્રેઈન મરચન્ટ એસોસિયેશન દ્વારા વિરોધ કરાયો છે. જ્યારે અનાજના વેપારીઓએ 16 જુલાઈએ ભારત બંધનું એલાન આપ્યું છે. જેમાં હાથીખાનાના 400 વેપારીઓ પણ જોડાશે અને શનિવારે પોતાની દુકાનો બંધ રાખી છે.

બરોડા ગ્રેઈન મર્ચન્ટ એસો.ના પ્રેસિડન્ટ નિમેશ મહેતાએ જણાવ્યું હતું કે, જીએસટી કાઉન્સિલની પેક કરેલા તેમજ લેબલ લગાવેલા તમામ ખાદ્ય પદાર્થો સહિત અન્ય કેટલીક વસ્તુઓને જીએસટી હેઠળ લાવવાની યોજના સામે દેશના અનાજના તમામ વેપારી રોષમાં છે. આ નિર્ણયથી નાના વેપારી બરબાદ થશે, જ્યારે મોટી બ્રાંડનો કારોબાર વધશે. પ્રી-પેક, પ્રી લેબલ દહીં, લસ્સી અને છાસ સહિત પ્રી પેકેજ્ડ અને પ્રી લેબલ રિટેલ પેક પર પણ જીએસટી લાગશે. આ નિર્ણયનો વેપારી વિરોધ કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

હાંસોટ તાલુકાના કતપોર વરૂડી ખોડીયાર માતાજીના મંદિરના જીર્ણોદ્ધાર નિમિતે વાસ્તુ પૂજન અને નવ ચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

અસત્ય પર સત્યના વિજયનું પર્વ એટલે દશેરા, જાણો શું છે ઈતિહાસ

ProudOfGujarat

અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક રાજધાની એક્સપ્રેસની અડફેટે અજાણ્યા આધેડનું મોત…   

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!