Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા : રાજપારડી નગરમાં આરોગ્ય કર્મીઓ દ્વારા પુર અસરગ્રસ્ત વિસ્તારમાં દવાઓનું વિતરણ કરાયું.

Share

રાજ્યમાં થયેલ વ્યાપક વરસાદને લઇને ઠેરઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા રહેણાંક વિસ્તારો જળાશયોમાં ફેરવાયા હતા. ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નગરના કેટલાક રહેણાંક વિસ્તારોમાં પણ બે દિવસ પહેલા પાણી ભરાયા હતા. હાલ ચોમાસામાં વ્યાપક મેઘવર્ષા થઇ રહી છે, ત્યારે સામાન્યતઃ શરદી, ખાંસી, તાવ, ઝાડા જેવી વ્યાધિઓ જોવા મળતી હોય છે.

આજરોજ રાજપારડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અશોક જાની, ભરત પટેલ, ગૌરાંગ વસાવા, રણજિત વસાવા, જીજ્ઞેસ વસાવા સહિતના આરોગ્ય કર્મીઓએ નગરના પુર અસરગ્રસ્ત સહિતના વિસ્તારોમાં ફરીને નગરજનોને જરુરી દવાઓ આપી હતી. ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ રાજપારડી નગરની મધ્યમાંથી પસાર થતા કોતરમાં ભારે પુર આવતા તેના પાણી રાજપારડીના નીચાણવાળા વિસ્તારોમાં પેસી ગયા હતા. આ લખાય છે ત્યારે પણ વરસાદ ચાલુ છે, અને તેને લઇને નગરજનોને દવાઓની જરુર જણાતા આરોગ્ય કર્મીઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ


Share

Related posts

માંગરોળ તાલુકા પંચાયતમાં પીવાના પાણી અને આરોગ્ય સબ સેન્ટરોના નિર્માણની બાકી કામગીરી અંગે બેઠક યોજાઈ

ProudOfGujarat

વાંકલની જવાહર નવોદય વિદ્યાલય ખાતે 74 વન મહોત્સવનું આયોજન કરાયું.

ProudOfGujarat

લો કરો વાત સિવિલ હોસ્પિટલની બેદરકારી ચરમ સીમાએ ડિસ્ટિલ વોટરની જગ્યાએ ગ્લુકોઝના પાણીનું ઇન્જેક્શન 18 દર્દીઓને અપાતા ખળભળાટ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!