Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વની રંગેચંગે ઉજવણી કરાશે.

Share

નડિયાદ જવાહર નગર ઝુલેલાલ મંદિર રાધા સિંધુ ભવન ખાતે તારીખ 2 એપ્રિલના રોજ ચેટીચંદ પર્વ ઉજવાશે. આ દિવસે બપોરે બે કલાકે શોભાયાત્રા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આ પર્વ નિમિતે બે દિવસ રાત્રે રંગારંગનું આયોજન કરવામાં આવ્યું છે.

નડિયાદના જવાહર નગર ઝુલેલાલ મંદિર રાધા સિંધુ ભવનમાં સિંધી સમાજ દ્વારા તા. ૨ ના રોજ  શનિવાર ના સવારે ૧૦:૦૦ કલાકે પૂજ્ય બહેરાણા સાહેબ તથા ઝૂલેલાલ ભગવાનના ભજન કિર્તન તથા ડાંડીયા રાસનો કાર્યક્રમ યોજાશે. બપોરે ૨:૦૦ કલાકે સિંધી સમાજના પ્રમુખ કુમારભાઈ ટહેલ્યાણી  દ્વારા શોભાયાત્રાને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવશે. આ શોભાયાત્રા જવાહરનગર વિસ્તારમાં ફરશે અને સાંજે જવાહર નગર ઝુલેલાલ મંદિરે પરત આવશે. રાત્રે ૧૦:૦૦ કલાકે નટરાજ કલા મંદિર તથા અનિલ દેવનાણી ડાન્સ ગ્રુપ તરફથી રંગારંગ કાર્યક્રમ યોજાશે. તા. ૩ના રોજ સાંજે ૭:૩૦ કલાકે મહાઆરતી થશે અને રાત્રે ૮:૦૦ વાગે ભંડારા( લંગર )પીરસવામાં આવશે. ૧૦:૩૦ કલાકે મનોરંજન કાર્યક્રમ તા. 4 ના રોજ રાત્રે નવજવાન યુવક મંડળ જવાહર નગર દ્વારા આ પર્વની પૂર્ણાહુતિ કરવામાં આવશે. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં સિંધી ભાઈઓ બહેનો લાભ લેશે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

જંબુસર તાલુકાના કીમોજ ગામની પાયલોટ ઉર્વશી દુબેનુ દુધધારા ડેરી ખાતે અભિવાદન કરાયું

ProudOfGujarat

કરજણનાં ભરથાણા ગામ પાસે આવેલ ટોલનાકા પાસે પરપ્રાંતીય શ્રમિકોએ હોબાળો મચાવ્યો હતો.

ProudOfGujarat

કરજણ તાલુકાનાં ધાવટ ગામમાં બાગાયત ખાતા દ્વારા મહિલાઓને સ્વરોજગારલક્ષી તાલીમ આપી આત્મનિર્ભર બનાવવા પ્રયાસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!