Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં નારંગીનો અન્નકુટ ધરાવાયો.

Share

સ્વામિનારાયણ મંદિર વડતાલ ખાતે રવિવારે વિજયા એકાદશીના શુભદિને દેવોને ૧૫૦૦ કિલો નારંગીનો અન્નકુટ તથા વાઘા ધરાવવામાં આવ્યા હતા. રજાનો દિવસ હોય સવારથી સાંજ સુધી અવિરત ભક્તોની ભારે ભીડ દર્શનાર્થે ઉમટી પડી હતી.

ભક્તોએ પ્રથમ વખત નારંગીના અન્નકુટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વડતાલ મંદિરના કોઠારી ડો.સંતસ્વામીએ જણાવ્યું હતું કે આજે વિજયા એકાદશીના શુભદિને ઓસ્ટ્રેલીયા રહેતા અમદાવાદના હરિભક્ત યશભાઇ કુમુદભાઇ પટેલના યજમાન પદે દેવોને ૧૫૦૦ કિલો નારંગીનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત દેવોને પણ નારંગીના વાઘા ધરાવવામાં આવ્યા હતા. મંદિરના સહાયક કોઠારી શ્યામવલ્લભસ્વામી આ ઉત્સવ માટેના પ્રેરક બન્યા હતા. તા.૬ માર્ચને રવિવારના રોજ ૬૨ મી રવિસભા યોજાશે. વડતાલ નીજ મંદિરમાં ડ્રાયફ્રુટ, ચિક્કી ઉત્સવ એવમ અન્નકુટ દર્શન સવારે ૧૦ થી ૬.૩૦ સુધી યોજાશે. તેમ વડતાલ મંદિરની એક યાદીમાં જણાવાયું છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલને ઇંડકટોથર્મ ગ્રુપ અને કુંદન ઉદાણી ફાઉન્ડેશન તરફથી અદ્યતન આઈ.સી.યુ ઓન વ્હીલ (કાર્ડિયાક એમ્બ્યુલન્સ) નું દાન મળેલ છે.

ProudOfGujarat

ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને આંચકો, ગુજરાત હાઈકોર્ટે કેસ ટ્રાન્સફર કરવાની અરજી ફગાવી

ProudOfGujarat

રાજપીપળા : તિલકવાડા ફોરેસ્ટ નાકા પાસેથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!