Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરા : પુલવામા ખાતે આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફ ના જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ…

Share

ત્રણ વર્ષ અગાઉ પુલવામા ખાતે સીઆરપીએફ ના કાફલા પર આતંકવાદી હુમલો થયો હતો. જેમાં ૪૦ જેટલા સીઆરપીએફ ના જવાનો શહીદ થયા હતા. જે અંતર્ગત વડોદરા જિલ્લાના કરજણ ખાતે ગતરોજ મોડી સાંજે કેન્ડલ માર્ચ યોજી વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ હતી.

નગરના નવાબજાર ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે મીણબત્તી પ્રગટાવી વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરાઇ હતી.

ઠાકોર સમાજના અગ્રણીએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે ૧૪ મી ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે તરીકે ઉજવવામાં આવે છે. અમારો એ બાબતે કોઈ વિરોધ નથી પણ ૧૪ મી ફેબ્રુઆરીના દિવસે પુલવામા ખાતે આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને પણ આપણે યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવી જોઈએ. આયોજિત કેન્ડલ માર્ચ રેલીમાં ઠાકોર સમાજના હોદ્દેદારો દિગ્વિજય સિંહ અટોડીયા, ઠાકોર ભીખાભાઈ, ઠાકોર વિજયભાઈ, ઠાકોર અર્જુન ભાઈ તેમજ ઠાકોર મેહુલ ભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

મહીલાઓ દ્રારા અનોખા ગરબામા મન મુકીને ગરબા રમે છે દીકરીઓ.

ProudOfGujarat

અમદાવાદ : વરસાદી માહોલ વચ્ચે હવાઈ સેવા ખોરવાઈ, અમદાવાદ આવતી 3 ફ્લાઇટ ડાઇવર્ટ, 2 કેન્સલ થઈ

ProudOfGujarat

ભરૂચ : કોન્ટ્રાકટ પ્રથામાં કર્મચારીઓનું શોષણ થતું હોવાના આક્ષેપ સાથે કલેકટરને રજૂઆત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!