Proud of Gujarat
FeaturedGujaratINDIA

નારેશ્વર ખાતેની ઘટના અંગે તપાસ અને ગુનેગારને સજા કરવા કોંગ્રેસના અગ્રણી સંદીપસિંહ માંગરોલાની માંગ…

Share

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નારેશ્વર ખાતે નર્મદા નદીના કિનારે આવેલ રંગ અવધૂત મહારાજની મૂર્તિને ખંડિત કરવામાં આવતા ભરૂચ કોંગ્રેસ સમિતિના અગ્રણી સંદીપ માંગરોલા દ્વારા ડીજીપી ગુજરાત રાજ્ય ગાંધીનગર આશિષ ભાટિયાને લેખિત પત્ર પાઠવી રજૂઆત કરાઇ છે.

આ રજૂઆતમાં સંદીપ માંગરોલા એ જણાવ્યું છે કે કરજણમાં આવેલ નારેશ્વર શ્રધ્ધાળુઓની આસ્થાનું પ્રતિક છે. અહીં કેટલાક અનિષ્ટ તત્વો દ્વારા રંગ અવધૂત મહારાજની મૂર્તિને ખંડિત કરવાનું કૃત્ય કરવામાં આવેલ છે જેના કારણે સંત સમાજ અને નારેશ્વર ધામના અનુયાયીઓની લાગણી દુભાય છે. આ પ્રકારની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડનારની તાત્કાલિક ધોરણે ધરપકડ કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગણી કરી છે. તેમજ આ પ્રકારની ધાર્મિક બાબતોને ઠેસ પહોંચે અને સમાજમાં આંતરીક વૈમનસ્ય ઊભુ કરનારા તત્વોને ડામવા માટે સોશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમ બનાવી ધાર્મિક લાગણી કોઈ પણ ધર્મની ના દુભાય તેવી પણ આ તકે સંદીપ માંગરોલાની માંગણી છે.

Advertisement

Share

Related posts

એફઆઈએએ પૂર્વ ગુજરાતમાં તેના બિઝનેસ કોરસપોન્ડન્ટ એજન્ટ નેટવર્કને મજબૂત બનાવ્યું

ProudOfGujarat

રાજ્યમાં 5 વર્ષમાં 4,363 મહિલા પર દુષ્કર્મ, અમદાવાદ ટોચ પર..

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે શીના કપૂરને માર્કેટિંગ, કોર્પોરેટ કોમ્યુનિકેશન્સ અને સીએસઆર ના હેડ તરીકે નિયુક્ત કર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!