Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાસા જેવી કલમો અને કાયદાઓનો રાજકીય ઉપયોગ થતો હોવાનો આક્ષેપ

Share

પાસા જેવી કલમો અને કાયદાઓનો રાજકીય ઉપયોગ થતો હોવાનો આક્ષેપ
રાજ્યપાલને સંબોધન કરતું આવેદન પત્ર કલેકટર મારફત અપાયું
ભરૂચ
સમગ્ર ભરૂચ અને નર્મદા જિલ્લામાં આદિવાસીઓ પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા છે વિવિધ કલમો અને કાયદાઓનો રાજકીય ઉપયોગ કરી આદિવાસીઓને જેલ ભેગા કરવામાં આવી રહ્યા છે જેના વિરોધમાં રાજ્યના રાજ્યપાલને સંબોધન કરીને આવેદન પત્ર કલેકટર મારફત પાઠવવામાં આવ્યું હતું વિજય વસાવા ની આગેવાનીમાં પાઠવાયેલ આવેદન પત્રમાં આદિવાસીઓ પર થતા અત્યાચારોની વિગતો આપવામાં આવી છે વન વિભાગના અધિકારીઓ કેવી રીતે અત્યાચારો ગુજરાય છે તે પણ આવેદન પત્ર માં જણાવાયું છે વધુમાં વિધાન સભા ની ચૂંટણીના સમયે નર્મદા જિલ્લાના કથલ ગામખાતે ઈ વી એમ મશીન રહી ગયું હતું જે અંગે દેડિયાપાડાના સામાજિક આગેવાન વસાવા ચેતર ભાઈએ તંત્ર નું ધ્યાન દોર્યું હતું આ બાબત મીડિયામાં આવતા ચર્ચા નો વિસય બન્યો હતો જેથી વૈમનસ્ય રાખી નર્મદા કારોબારી અધ્યક્ષ બહાદુર વસાવા અને ચેત ર વસાવા ને પાસાની કલમો લગાવી જેલ ભેગા કરવામાં આવ્યા છે જેથી પાસાની કલમો રદ કરી તેમને મુક્ત કરવા આવેદન પત્રમાં માંગ કરવામાં આવી છે

Advertisement

Share

Related posts

ભારતીય બનાવટનાં ઇંગ્લિશ દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અંકલેશ્વર પોલીસ.

ProudOfGujarat

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બ્લડબેંક રાજપીપલાને 160 યુનિટ રક્ત મળ્યું.

ProudOfGujarat

ભરૂચ : પ્રેમ સંબંધોના કરુણ અંજામ, બે ઘટનાઓમાં યુવક અને યુવતીએ ગુમાવ્યા જીવ,પોલીસે તપાસ શરૂ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!